અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી જતા 6 ના મોત
રિલ્સ બનાવવાના ચક્કરમાં ડ્રાઈવરે ચાર બમ્પ કુદાવી દેતા લક્ઝરી બસ પલટી મારી ગઈ હોવાનો આક્ષેપ
બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળિયા ઘાટ પાસે બસ પલટી ગઈ હતી. જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ બસ અંબાજીથી દાતા તરફ આવતી હતી અને આ અકસ્માત નડ્યો હતો. જેમાં 35 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કઠલાલ ગામના શ્રદ્ધાળુઓ ગઈકાલે અંબાજી માતાના દર્શને આવ્યા હતા, જેઓ આજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે દાંતાના ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માત સર્જાયો હતો
આ અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના ફુરચે ફુરચા બોલી ગયા હતાં. અકસ્માત લક્ઝરી બસના ચાલકની બેદરકારીના કારણે થયો હોવાનું આક્ષેપ ખુદ શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે, તેમનું કહ્યું છે કે રિલ્સ બનાવવાના ચક્કરમાં ચાર બમ્પ કુદાવી દેતા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી.
જો બસમાં સવાર શ્રદ્ધાળુઓ બસચાલક સામે બેદરકારીના આક્ષેપ કરતા હોય તો તે તપાસનો વિષય છે, કારણ કે જો રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માતની ઘટના બની હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, રિલ્સ બનાવી ફેમસ થવાના શોખમાં 50 લોકોના જીવ જોખમમાં મૂકી ત્રણના ભોગ લેનાર બસ ચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.