જંગલેશ્વરમાં લગ્નની લાલચે 17 વર્ષીય તરૂણીનું અપહરણ
રાજકોટમાં જંગલેશ્વર શેરી નં.૨૭માં તવક્કલ ચોક પાસે રહેતી 17 વર્ષીય તરૂણીને લગ્નની લાલચ આપી મવડીનો શખસ અપહરણ કરી ગયો હતો.વિગત મુજબ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં 17 વર્ષીય તરૂણીના પિતાએ આરોપીમાં મવડીમાં વિનાયક નગર શેરી નં.૧૨માં રહેતા નીતીન રમેશભાઇ ધામેચાનું નામ આપતા જણાવ્યું હતું કે,આરોપી તેની સાથે કામ કરતો હોવાથી પરિચય થયો હતો.અને બાદમાં તેની 17 વર્ષીય તરૂણીને લલચાવી ફોસલાવી લાલચ આપી ભગાડી ગયો હતો.જેથી આ મામલે ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ.સરવૈયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.