છત્તીસગઢમાં ભાજપના સીએમના શપથ પહેલા કેવી ઘટના બની ? જુઓ
- કોણે સુરક્ષામાં અવરોધ કર્યો ?
- જવાનો પર કેવી રીતે હુમલો થયો ?
છત્તીસગઢમાં ભાજપના સીએમ વિષ્ણુ દેવના શપથ સમારોહ પહેલા નક્સલી દ્વારા આઇઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. ઘટના બાદ મજબૂત જાપ્તો ચારેકોર ગોઠવી દેવાયો હતો.
નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યોહતો જેમાં એક સૈનિક શહીદ થયા હતા સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નક્સલીઓએ આ હુમલો નારાયણપુરની આમદાઈ ખાણમાં કર્યો હતો. સીએએફ બટાલિયનના સૈનિકો નક્સલીઓના આ હુમલામાં ફસાઈ ગયા હતા. કોન્સ્ટેબલ કમલેશ સાહુ શહીદ થયા હતા, જ્યારે કોન્સ્ટેબલ વિનય કુમાર સાહુ ઘાયલ થયા હતા. એસપી પુષ્કર શર્માએ હુમલાની પુષ્ટિ કરી હતી.