Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણના કેટલાક અંશો સંસદના રેકોર્ડમાંથી હટાવી દેવાયા

Tue, July 2 2024

સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતી વેળાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલું ભાષણ લાંબા સમય સુધી યાદ રહેશે. ૬૨ મિનિટના તેમના ભાષણમાં આક્રમકતા હતી, મુદ્દાઓ હતા, નાટ્યાત્મકતા હતી, વ્યંગ અને કટાક્ષ હતા અને તેમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. એમના વક્તવ્ય દરમિયાન લોકસભામાં સતત દેકારો થતો રહ્યો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત અને ગૃહ મંત્રી અમિત શાહે ચાર વખત ઉભા થઈને પ્રતિક્રિયા આપી. એ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિહ, કિરણ રીજજુ,શિવરાજ સિહ ચૌહાણ અને ધર્મેન્દ્ર યાદવ ઉપરાંત ભાજપના અન્ય સાંસદોએ પણ હસ્તક્ષેપ કર્યો. એકંદરે રાહુલ ગાંધી નવા રૂપમાં જોવા મળ્યા. ઘણા વર્ષે લોકસભાને મજબૂત વિપક્ષનો પરિચય થયો. ભાજપ બેક ફૂટ પર હોય તેવું ચિત્ર ઉપસ્યું. રાહુલ ગાંધીએ તેમની બાજુમાં જ બેઠેલા અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ સાથે ચાલુ ભાષણે હસ્તધૂનન કર્યું અને વિપક્ષની એકતાનો નિર્દેશ આપ્યો. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ આપેલા આ પ્રથમ ભાષણે લોકસભાનું આ અને આવનારા સત્રો બંને પક્ષ માટે બળાબળના પારખા સમાન બની રહેશે તેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.


રાહુલ ગાંધીએ કરેલા આ ભાષણના દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓએ ભારે વિવાદ સર્જ્યો હતો. અને બાદમાં તેમના પાછળના કેટલાક અંશો લોકસભાના સત્તાવાર રેકોર્ડ પરથી હટાવી દેવાયા હતા.


રાહુલ ગાંધીના ભાષણનાઆ અંશો દૂર કરાયા

રાહુલે ભાજપ લઘુમતીઓને અન્યાય કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના ભાષણનો એ ભાગ દૂર કરાયો છે. અદાણી અને અંબાણી વિશે તેમણે કરેલી ટિપ્પણી પણ રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી છે. નીટની પરીક્ષા માત્ર શ્રીમંત વર્ગ માટે જ છે અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓનું તેમાં કોઈ સ્થાન નથી એવો તેમણે કરેલો આક્ષેપ પણ દૂર કરાયો છે. અગ્નિપથ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રેન ચાઈલ્ડ હોવાની તેમણે કરેલી ટિપ્પણી પણ લોકસભાના સત્તાવાર રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી છે.


હું સત્ય જ બોલ્યો છું, સત્યને ભૂંસી શકાતું નથી: રાહુલ
રાહુલ ગાંધીના ભાષણને કારણે જબરો વિવાદ થયો છે.તેમના ભાષણ દરમિયાન જ કેટલાક વાંધાજનક વિધાનો દૂર કરવાની ટે્રઝરી બેન્ચ તરફથી માંગણી થઈ હતી.બાદમાં તેમના ભાષણના કેટલાક અંશો દૂર કરી દેવાયા હતા.તે અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે પત્રકારો સાથેની વાતમાં કહ્યું, “મોદીજીની દુનિયામાં સત્યને હટાવી શકાય છે. પરંતુ વાસ્તવમાં, સત્યને ભૂંસી શકાતું નથી. મારે જે કહેવું હતું તે મેં કહ્યું, એ સત્ય છે. તેઓ ઇચ્છે તેટલું કાઢી નાખી શકે છે. સત્ય સત્ય છે.” બાદમાં ભાષણના અંશો કાઢી નાખવાના પગલાનો તેમણે સ્પીકરને પત્ર લખીને વિરોધ કર્યો હતો. પત્રમાં તેમણે લખ્યુ, “મારા ભાષણના નોંધપાત્ર ભાગને જે રીતે હટાવી દેવામાં આવ્યો છે તે જોઈ હું આઘાત અનુભવ છું મારી ટિપ્પણીઓને રેકોર્ડમાંથી કાઢી નાખવું એ સંસદીય લોકશાહીના સિદ્ધાંત વિરૂધ્ધનું છે.” તેમણે એ દૂર કરાયેલી ટિપ્પણીઓ પુનસ્થાપિત કરવા અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતી કરી હતી.


ખડકે ના ભાષણ ઉપર પણ કાતર ફરી વળી
રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આંકડા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ રાજ્ય સભામાં જ મોદીએ છાતી ઠોકીને કહ્યું હતું કે એક અકેલા સબ પર ભારી. હવે જુઓ કે તેમને કેટલા બધા લોકો ભારે પડી રહ્યા છે. તેમણે વિશેષમાં કહ્યું કે આટલો અહંકાર નકામો છે. “મોદીની સરકાર, મોદીની ગેરંટી મોદી હે તો મુમકીન હૈ..” એવા જ નારા લાગતા હતા. આટલો બધો ઘમંડ શું કામનો તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. લોકસભાની ચૂંટણી સમયે મોદીએ કરેલા ભાષણની યાદ અપાવી તેમણે કહ્યું, “એ લોકોને તેમની વોટબેંક સામે મુજરા કરવા હોય તો ભલે કરે..” બાદમાં તેમના ભાષણમાંથી સત્યનાશ, ઘમંડ અને મુજરા શબ્દોનો ઉલ્લેખ કરતા અંશો દૂર કરાયા હતા. ખડગેએ મોદી ગેરમાહિતી ફેલાવતા હોવાના અને સમાજને વિભાજિત કરતા હોવાના કરેલા આક્ષેપો પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

દેશમાં લોકોની બચત અંગે રિઝર્વ બેન્કે શું કહ્યું ? જુઓ

Next

ઉત્તર પ્રદેશમાં સંસદની તમામ 80 બેઠકો પર જીત મળે તો પણ મને ઈવીએમ પર ભરોસો નથી, લોકસભામાં અખિલેશ યાદવનું નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ
14 કલાક પહેલા
બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  
14 કલાક પહેલા
VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ
14 કલાક પહેલા
હું માત્ર જીવિત છું…અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમારને ગંભીર બીમારી, જાણો શું છે તેના લક્ષણ
15 કલાક પહેલા
Categories

નેશનલ

2623 Posts

Related Posts

૧૬ દડામાં ફિફટી બનાવનાર અભિષેક શર્માને ચપ્પલથી મારશે યુવરાજસિંઘ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
GSTનો 12 અને 18 ટકાનો સ્લેબ સમાપ્ત થશે : સરકારના પ્રસ્તાવનો મંત્રીઓના જૂથે કર્યો સ્વીકાર; જનતા માટે સારા દિવસો આવવાનો માર્ગ ખૂલ્યો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
જસદણના ઘેલા સોમનાથ મંદિરમાં મહાપુજા મામલે વિવાદ : ભટ્ટ પરિવારે બાળકો સહિતના સભ્યો દ્વારા અનસન શરૂ
ગુજરાત
3 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના 42 હજાર ગરીબોનું રૂપિયા 120 કરોડના ખર્ચે થશે કલ્યાણ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર