‘મિર્ઝાપૂર-3’ની મોટી અપડેટ આવી સામે, સિરીઝમાં હશે મુન્ના ભૈયા!
એમેઝોન પ્રાઇમ વિડીયો પર ફોટો શેર થતાં જ થવા લાગી ચર્ચા
મિર્ઝાપૂર સિરીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝમાં મુન્ના ભૈયાનું પાત્ર સૌથી વધારે પસંદ કરવામાં આવ્યું છે. પહેલા એવી વાત બહાર આવી હતી કે, આ સિરીઝમાં મુન્ના ભૈયાનું પાત્ર ભજવનાર અભિનેતા દિવ્યેન્દુ આ સિરીઝના ત્રીજા ભાગમાં નહી હોય. જેના કારણે દર્શકોના દિલ તૂટયા હતા. જો કે હવે એક અપડેટ આવી છે જેના કારણે ફરી એવી ચર્ચા થવા લાગી છે કે, મુન્ના ભૈયા ત્રીજા ભાગમાં જોવા મળશે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર મિર્ઝાપુર-3ની અપડેટ શેર કરવામાં આવી રહી છે. એક પછી એક પોસ્ટર્સ અને વિડિયોઝ નિર્માતા શેર કરી રહ્યા છે. જો કે તેની રિલીઝ ડેટનો હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. વચ્ચે એક એવા સમાચાર આવ્યા હતા કે, મિર્ઝાપૂર-3માં મુન્ના ભૈયા જોવા નહી મળે. જો કે તાજેતરમાં મુન્ના ભૈયાની એક ફોટો શેર કરવામાં આવ્યો છે.
નિર્માતાએ દિવ્યેન્દુનો એક ફોટો શેર કર્યો છે. તેની સાથે પોસ્ટરમાં લખ્યું છે ‘ઢ’. જેનો અર્થ એવો કર્યો છે કે, ‘ઢ થી ઢીટ બની રહો, મિર્ઝાપુર-3 ઉભી રહેવી જોઈએ નહી’. એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં દદ્દા ત્યાગીનું પાત્ર ભજવનાર અભિનેતા આ સિરીઝની રિલીઝ ડેટ વિશે વાત કરી રહ્યા છે. જેમાં દદ્દા ત્યાગી સાથે એક વ્યક્તિ વાત કરતાં કહે છે કે, તમે તો બધુ જાણો છો, તો પછી રિલીઝ ડેટ વિશે જણાવોને. જેના જવાબમાં દદ્દા ત્યાગી કહે છે 4-11. તે વ્યક્તિ કહે છે કે 4-11ના રોજ સિરીઝ રિલીઝ થશે. તો દદ્દા ત્યાગી કહે છે કે તારીખ નહી જણાવતો હું મારી હાઇટ જણાવું છુ.