જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવને હરિયાણામાં અપાઈ અંતિમ વિદાય, 10 દિવસ પહેલાં જ થઇ હતી સગાઇ
જામનગરમાં પ્લેન ક્રેશમાં શહીદ થયેલા જવાન સિદ્ધાર્થ યાદવ હતા માતાપિતાના એકમાત્ર સંતાન
દેશની સેવા માટે કામ કરતાં જવાનો પોતાનું જીવન દેશને સમર્પિત કરી દેતા હોય છે. તેમના માટે પહેલા પોતાનો દેશ અને પછી પરિવાર આવતો હોય છે. જવાન પોતાની ફરજ બજાવતા બજાવતા પરિવારને અને પત્ની તથા બાળકોને પણ છોડીને ચાલ્યા જાય ત્યારે જામનગરમાં 2 દિવસ પહેલા પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી જેમાં એક પાયલોટ શાહિદ થયા હતા. આ પાયલોટની સગાઈ 10 દિવસ પહેલા જ થઈ હતી અને જે બાદ તે તરત જ પોતાની ફરજ પર પરત ફર્યા હતા. ત્યારે જગુઆર વિમાન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ થવાની આ દુર્ઘટના સામે આવી હતી.
જામનગરમાં બુધવારે બુધવારે રાતે ઇન્ડિયન એરફોર્સનું જગુઆર ફાઇટર જેટ ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં હરિયાણાના રેવાડીના રહેવાસી 28 વર્ષીય ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા. સિદ્ધાર્થની સગાઈ માત્ર 10 દિવસ પહેલા જ થઈ હતી. તેઓ નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. થોડા દિવસ પહેલા જ તે પોતાના પરિવારને મળવા રેવાડી આવ્યો હતો અને 31 માર્ચે ફરજ પર પાછો ફર્યો હતો.
સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ
નોંધનીય છે કે, સિદ્ધાર્થ યાદવની માત્ર 10 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી અને ચાર દિવસ પહેલા જ ડ્યૂટી પર પરત ફર્યા હતા. તેઓ તેમના માતા-પિતાના એક માત્ર સંતાન હતા. શહીદનો પાર્થિવ દેહ સૌથી પહેલા તેમના નિવાસ સ્થાન સેક્ટર 18માં લાવવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. અને એ પછી પૂરા માનસમ્માન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ પાર્થિવ દેહને તેના વતન ભાલકી ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યા સૈનિકોએ સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જામનગરમાં બુધવારના રોજ આશરે 9.30 વાગ્યે એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. વિમાને જામનગર એરફોર્સ સ્ટેશનેથી ઉડાન ભરી હતી. દુર્ઘટનામાં પાયલોટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા જ્યારે તેમના સાથી મનોજ કુમાર સિંહ ઘાયલ હાલતમાં હોસ્પિટલ ભરતી કરાયા હતા.
માતા-પિતાના એક માત્ર સંતાન થઈ શહિદ
28 વર્ષીય સિદ્ધાર્થની 23 માર્ચ 2025ના રોજ સગાઈ થઈ હતી. તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. એ પછી તેઓ 31 માર્ચના રોજ રજા ગાળીને રેવાડીથી જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે રેવાડીમાં આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સિદ્ધાર્થનો પાર્થિવ દેહ આજે રેવાડી પહોંચ્યો હતો. છેલ્લાં સમયમાં સિદ્ધાર્થ યાદવ અને તેમના કો-પાઇલટે પ્લેનની દિશા બદલીને લોકોનો જીવ બચાવ્યો. જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. કો-પાઇલટની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, પરંતું સિદ્ધાર્થે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સિદ્ધાર્થના પિતા પણ પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા
સિદ્ધાર્થના પરદાદા બંગાળમાં એન્જિનિયર્સમાં કાર્યરત હતા, તેમના પિતા પણ એરફોર્સમાં હતા. હાલમાં તેઓ LICમાં કાર્યરત છે. સિદ્ધાર્થે વર્ષ 2016માં NDAની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ 3 વર્ષનું પ્રશિક્ષણ લઈને પાયલોટ તરીકે વાયુસેનામાં જોડાયા હતા. તેમને બે વર્ષ પછી પ્રમોશન પણ મળ્યું હતું, તે પછી તેઓ ફ્લાઇટ લેફ્ટિનેન્ટ બન્યા હતા.
