દિનેશ કાર્તિકની સફર પૂરી ?
રાજસ્થાન સામે આઈપીએલમાં પરાજય થયા બાદ આરસીબીના સ્ટાર વિકેટકિપર-બેટર દિનેશ કાર્તિકની સફર પૂરી થઈ ગઈ હોવાની અને તે ટૂંક સમયમાં આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તેના કરિયરનો અંતિમ મુકાબલો હોઈ શકે છે. જો કે હજુ સુધી તેના તરફથી કોઈ નિવેદન અપાયું નથી. મેચ પછી જે રીતે દિનેશ કાર્તિકને અન્ય ખેલાડીઓએ ગળે લગાવ્યો તેને જોતાં તેની આ અંતિમ મેચ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. કાર્તિકે ચેન્નાઈ સામેની મેચમાં જ આ અંગે અંગૂલીનિર્દેશ કરી દીધો હતો. બેંગ્લુરુના ખેલાડીઓએ પણ કાર્તિકને રાજસ્થાન સામે પરાજય બાદ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
