Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે: સંબિત પાત્રાએ ભાંગરો વાટ્યો

Tue, May 21 2024

બાદમાં જીભ લપસી ગઈ હોવાનો બચાવ કરી ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી

વિપક્ષના ત્રીજી કે ચોથી હરોળના નેતાઓના નિવેદનોને પણ રાયનો પહાડ બનાવીને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દેવાની કળામાં આમ તો ભાજપને કોઈ પહોંચે તેમ નથી પણ ઓડિશાના એક કિસ્સામાં એ કળામાં પીએચડી ની ડીગ્રી ધરાવતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પુરીની બેઠકના ઉમેદવાર સંબિત પાત્રા ખુદ બહુ ખરાબ રીતે ભેરવાઈ ગયા હતા.
પુરીમાં વડાપ્રધાન મોદીના રોડ શો બાદ અતિ ઉત્સાહમાં આવી ગયેલા પાત્રાએ એક ચેનલને બાઈટ આપતી વેળાએ ભગવાન જગન્નાથ પણ મોદીના ભક્ત હોવાનું જણાવી દીધું. એ વિડીયો વાયરલ થયા બાદ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો. ખુદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ એ મુદ્દો ઉપાડી લીધો. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા પાત્રા ખુલાસા પર ખુલાસા કરવા લાગ્યા અને અંતે પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરી. જોકે ખુલાસા કર્યે બગડેલી બાજી સુધારી શકાતી નથી એ ન્યાયે ઓડિશામાં પણ લોકો પાત્રાને માફ કરવા તૈયાર નથી. ઓડિશામાં આ વખતે ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ હતું પણ સંબિત પાત્રાના બફાટને કારણે ભાજપ બેક ફૂટ પર આવી ગયો છે.

શું કર્યું હતું પાત્રાએ અને શું ખુલાસો કર્યો?

પાત્રા એ કહ્યું હતું,” મોદીને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે અને અમે બધા મોદીનો પરિવાર છીએ. હું મારી લાગણીને કાબુમાં રાખી શકતો નથી આજનો દિવસ ઓડિશા માટે ખૂબ મહત્વનો છે.” વિવાદ વધ્યા બાદ તેમણે કહ્યું કે મેં આજે ઘણી ચેનલોને બાઈટ આપી હતી અને બધામાં મેં કહ્યું હતું કે મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે પણ એક વખત ભૂલમાં મારી જીભ લપસી ગઈ. તેમણે લોકોને આ ઘટનાને મુદ્દો ન બનાવવાની અપીલ કરી.

નવીન પટનાયકે તક ઝડપી લીધી

ઓદિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આમ તો તેમના ગરીમાપૂર્ણ વાણી વર્તન માટે જાણીતા છે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને નરેન્દ્ર મોદીએ તેમના પર કરેલા વ્યક્તિગત પ્રહારો બાદ નવીન પટનાયકે પણ વળતો પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી. તેમણે કહ્યું,” ભગવાન જગન્નાથ આખા બ્રહ્માંડના ભગવાન છે. તેઓ ઓડિસાની અસ્મિતાનું પ્રતીક છે. મહાપ્રભુજીને કોઈ માનવીના ભક્ત કહેવું એ વખોડવા લાયક છે. હું ભગવાનને રાજકારણથી દૂર રાખવા ભાજપને વિનંતી કરું છું. આવા દ્વારા દ્વારા ભાજપે ઓડિશાની અસ્મિતા પર પ્રહાર કર્યો છે અને ઓડીસાના લોકો લાંબો સમય સુધી તે ભૂલી શકશે નહીં.”

વિપક્ષોને મસાલો મળી ગયો

ઓડિશા કોંગ્રેસે કહ્યું કે સંબિત પાત્રાએ મહાપ્રભુજીને મોદીના ભક્ત ગણાવીને ઓડિસાની અસ્મિતા પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આવા નિવેદનો ભાજપની અંદરના આત્મ ઉત્સાહનું જોખમી સ્તર સૂચવે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રી ને તે કહ્યું કે હવે ભગવાન પણ મોદીના ભક્ત થઈ ગયા છે! ભાજપને થઈ શું ગયું છે? આપણા ભગવાનનું આવું અપમાન? અરવિંદ કેજરીવાલે આ નિવેદનને ઘમંડની ઊંચાઈ અને ઈશ્વરના અપમાન સમાન બનાવ્યું

Share Article

Other Articles

Previous

હું નાનપણથી આરએસએસ નો સભ્ય હતો અને આજે પણ છું

Next

રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ઓટીટી પર રિલીઝ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
18 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
55 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
57 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ગુજરાતમાં ક્યારથી દોડતી થઈ જશે બુલેટ ટ્રેન ? શું આવ્યો અહેવાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
તિરંદાજીમાં હરવિંદર સિંઘે રચ્યો ઈતિહાસ, જીત્યો ગોલ્ડ મેડલ
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
ભારતીય નાગરિક ન હોવા છતાં ચાર ચાર વખત ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ગંગાસ્નાન માટે જતાં લોકો સાથે કેવી ઘટના બની ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર