લાલુપ્રસાદે શું વિવાદ ઊભો કરી દીધો ? વાંચો
વડાપ્રધાન વિષે શું કહી દીધું ?
લોકસભાની ચુંટણી માટે વિપક્ષી મહાગઠબંધને પણ આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી અને રવિવારે બિહારના પટણા ખાતે ગાંધી મેદાનમાં ગઠબંધનની જનવિશ્વાસ રેલી યોજાઇ હતી જેમાં લાલુપ્રસાદ યાદવ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન તથા નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા હતા. મેદાનમાં જંગી મેદની એકત્ર થઈ હતી.
રાજદના વડા લાલુપ્રસાદ યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. અમે બધાને એક માનીને આગળ ચાલી રહ્યા છીએ. મોદીજી કટ્ટર હિન્દુ હોવાની છાપ ધરાવે છે ત્યારે લાલુએ મોદીને હિન્દુ તરીકે માનવાનો જ ઇનકાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. લાલુએ હિંદુકાર્ડ રમીને પ્રચાર શરૂ કર્યો હતો. એમણે કહ્યું હતું કે હિન્દુ રિવાજ મુજબ માતાનું અવસાન થયા બાદ દાઢી ઉતારવી પડે છે તો મોદીએ શા માટે ઉતારી નહતી ? આમ કહીને લાલુએ એવો આક્ષેપ કર્યો હતો કે મોદી હિન્દુ જ નથી.
એમણે કહ્યું કે મોદી પરિવારવાદની વાત કરે છે તો તમારી પાસે પરિવાર જ નથી. અમે તો ગરીબોને એમનો હક આપ્યો છે અને એક જમાનામાં ગરીબોને દલિતોને કૂવા પર પણ આવવાની મનાઈ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. મંડલ કમિશનથી ગરીબોને હક મળ્યા હતા. એમણે નીતિશ કુમારને પલટૂ રામ કહ્યા હતા.
રાહુલ ગાંધી
રેલીને સંબોધન કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહ્યું હતું કે આજે દેશમાં ગરીબો અને બેરોજગારોની સંખ્યા સૌથી વધુ રહી છે. એમણે એમ પણ કહ્યું હતું કે બિહારથી જ મોટા બદલાવ થયા છે. આપણાં દેશમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મોદીજી માત્ર અમીરો માટે જ કામ કરે છે . અમીરોના 16 લાખ કરોડ માફ કરી દેવાયા છે. કિસાનોના કરજની કોઈ માફી થતી નથી. યુવાનો અને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે.
અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રેલીને સંબોધતાં કહ્યું હતું કે ભજ માત્ર ખોટી વાતો વાતો કરે છે. ભાજપ અમારા પર પરિવારવાદનો આરોપ લગાવે છે તો એમણે એમ કહેવાનું માં થાય છે કે તમે લોકો સંકલ્પ લઈ લ્યો કે કોઈ પરિવારજનને ટિકિટ નહીં આપો અને કોઈ પણ પરિવારવાળા પાસેથી મત નહીં માંગો. અમે યુપીમાં દરેક વર્ગને ન્યાય આપ્યો હતો અને ગરીબો આદિવાસી અને પછાત માટે ખૂબ કામ કર્યું છે.
તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે પિતા લાલુપ્રસાદના શાસનમાં થયેલા કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લોકોને એવો સવાલ કર્યો હતો કે તમે ભાજપને ખૂબ બેઠકો આપી હતી તો શું એ લોકોએ તમને નોકરીઓ આપી ? અપરાધ ઘટાડયો ? મારા પિતા રેલવે મંત્રી હતા ત્યારે એમણે રેલવેને નફો કરતી કરી દીધી હતી. નિટીશકુમારની તેજસ્વીએ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે 17 ણ વર્ષોમાં જે કામ નાથી થયા તે અમે 17 માસમાં કર્યા છે.