Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

પાકિસ્તાનને સદા માટે કચડી નાખો

Thu, September 14 2023

કાશ્મીરમાં ત્રણ જવાનોની શહાદત બાદ ઠેર ઠેર પાકિસ્તાન વિરોધી દેખાવો

જમ્મુ સહિત અનેક સ્થળે રેલી, ધારણા સૂત્રોચ્ચાર, પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યા: શહીદોના નિવાસ્થાને હજારોની મેદની: એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાંકરેગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં ત્રણ જવાનો શહીદ થતાં સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. આ આતંકવાદી ઘટના પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની રોષભરી લાગણી સાથે જમ્મુ સહિત દેશમાં અનેક સ્થળે લોકોએ દેખાવો કર્યા હતા. યુવા ભાજપ, ડોગરા સમુદાય તેમજ અન્ય સંગઠનો દ્વારા રેલી સૂત્રોચાર અને પાકિસ્તાનના ધ્વજ દહનના કાર્યક્રમો યોજાયા હતા. અનેક શહેરોમાં શાળાના બાળકોએ મીણબત્તીઓ પ્રગટાવી શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ થયેલા વીર જવાનોના નિવાસ્થાનોએ પણ હજારો લોકો એકત્ર થયા હતા અને ભારત માતાકી જય,શહીદો અમર રહો તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.


કાંકરેગ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી બાદ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા મંગળવારે રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન થયેલા સામસામે ગોળીબારમાં રાષ્ટ્રીય રાયફલસના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોણક અને અને કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયું ભટ્ટ શહીદ થયા હતા.
આ બનાવ બાદ સેના દ્વારા જંગલમાં છુપાયેલા બે આતંકવાદીઓને ઠાર કરવા માટે સમગ્ર વિસ્તારને અભેદ ઘેરાબંધી કરી દેવામાં આવી હતી. ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તાર માટેના સ્પેશિયલ ફોર્સને પણ તૈનાત કરી દેવાયો હતો. આર્મી હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ શરૂ કરી દેવાયું હતું.

આતંકી ઉઝેર ઉપર દશ લાખનું ઈનામ છે.

જંગલમાં છુપાયેલા બે આતંકવાદીઓ પૈકીના લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉઝેર ખાનનો મોસ્ટ વોન્ટેડ ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેના માથા માટે દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદ મંદ પડી રહ્યો છે ત્યારે પણ મોરચો સંભાળનાર આ આતંકવાદી અગાઉના અનેક હુમલાઓમાં સંડોવાયેલો છે.

આ શહીદોને સો સો સલામ

41 વર્ષના કર્નલ મનપ્રીત સિંહના પત્ની જગપ્રિત કૌર શિક્ષિકા છે તેમને છ વર્ષનો પુત્ર અને બે વર્ષની પુત્રી છે. કર્નલ મનપ્રીતે બે દિવસ પહેલા જ પરિવાર સાથે ફોન ઉપર વાત કરી હતી અને ઉતાવળમાં હોવાથી બાદમાં નિરાંતે વાત કરશું એમ કહી તેઓ કોમ્બિંગ ઓપરેશનમાં સામેલ થઈ ગયા હતા. તેમની શાહદત અંગે ગુરૂવાર સવાર સુધી તેમના પત્નીને જાણ કરવામાં નહોતી આવી.
દેશ માટે કુરબાની આપનાર બીજા વીર જવાન આશિષ ધોણકને તેમના શૌર્ય બદલ સેના મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શહીદને બે વર્ષની પુત્રી છે. તેઓ તેમની ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા.

મંગળવારે થયેલી અથડામણમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મીર પોલીસના 29 વર્ષના યુવાન ડીએસપી હુમાયુ ભટ્ટના પિતા ગુલામ હસન ભટ્ટ જમ્મુ કાશ્મીરના નિવૃત આઈજી છે. તેમણે જ્યારે પોતાના બહાદુર યુવાન પુત્રના કોફીન ઉપર પુષ્પ અર્પણ કર્યા ત્યારે ઉપસ્થિત સૌની આંખો ભીંજાઈ ગઈ હતી.

આર્મી પર હુમલા ની વધતી જતી ઘટનાઓ

મંગળવારે જ રાજૌરીમાં બનેલી ઘટનામાં એક જવાન નું મૃત્યુ થયું હતું અને ત્રણ ઘવાયા હતા. એ પહેલા 21 મી એપ્રિલે પૂંચ જિલ્લાના ભીમભેર ગલી વિસ્તારમાં આર્મીના કાફલા ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. મે મહિનામાં પણ રાજૌરી જિલ્લાના કાંડી કોતરોક વિસ્તારમાં થયેલા હુમલામાં સ્પેશિયલ ફોર્સના બે જવાનો સહિત પાંચ સૈનિકોના મૃત્યુ થયા હતા. ચોથી ઓગસ્ટે કુલગામમાં આર્મીના ટેંટ ઉપર થયેલા હુમલામાં ત્રણ જવાનોનો ભોગ લેવાયો હતો.

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ

શહીદ આશિષ ધોણકના નિવાસ્થાને હજારો લોકો એકત્ર થયા હતા ત્યારે તેમના વૃદ્ધ પાડોશી એ કહ્યું કે બધા જાણે છે કે પાકિસ્તાન આપણી સામે પ્રોક્સી વોર લડી રહ્યું છે. આપણે સેનાએ હવે આખરી જવાબ આપવો જોઈએ જેથી કોઈ માતાએ પોતાના પુત્રના કે કોઈ બેને પોતાના ભાઈના મૃત્યુ ઉપર આંસુ ન સારવા પડે. તેમણે અશ્રુભરી આંખે ઉમેર્યું કે પાકિસ્તાનને ખતમ કરી દો જેથી કોઈ પત્નીના માથાનું સિંદૂર ન ભૂસાઈ અને કોઈ બાળકના જીવનમાંથી પિતાની છત્રછાયા ન છીનવાઈ જાય.

TRF સંગઠનને જવાબદારી લીધી
કાશ્મીરમાં કાર્યરત ધી રેઝિસ્ટન્સ ફોર્સ ( TRF ) નામના આતંકવાદી સંગઠને આ બનાવવાની જવાબદારી લીધી છે. ત્રણ દિવસ પહેલા પીઓકે માં મારી આ ગયેલા મૂળ પૂંછ ના આતંકવાદી મહમદ રિયાઝની હત્યાનો બદલો ત્રણ જવાનોના મોતથી લીધા હોવાનો સંદેશો આ સંગઠને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો.


કાશ્મીરમાં હાલમાં મુખ્યત્વે ધ રેસિસ્ટન્સ ફોર્સ (ટી આર એફ) અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર(કે એફ એફ) નામના બે આતંકવાદી સંગઠનો કાર્યરત છે. બન્ને સંગઠનો સ્થાનિક યુવાનોના હોવાનો દાવો થઈ રહ્યો છે પણ તેમાંથી ટીઆરએફ તો લશ્કર એ તેયબાની જ ઓળખ બદલાયેલી આવૃત્તિ છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાંચમી ઓગસ્ટ 2019ના રોજ 370મી કલમ નાબૂદ કરવામાં આવી તે પછી તુરત જ ટીઆરએફસક્રિય બન્યું હતું. ઓક્ટોબર મહિનામાં તેના આતંકીઓએ શ્રીનગરમાં ગ્રેનેડ વડે કરેલા હુમલામાં આઠ નાગરિકો ઘવાયા હતા. જો કે ત્યારે આ સંગઠનની ખાસ નોંધ લેવાઈ નહોતી. ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં શ્રી નગરના લાલચોકમાં સીઆરપીએફ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. એપ્રિલ 2020માં કૂપવાડામાં થયેલી અથડામણમાં ભારતીય લશ્કરના પાંચ કમાન્ડો શહીદ થયા તે પછી આ સંગઠનનો પર્દાફાશ થયો હતો. એ અથડામણમાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી ત્રણ સ્થાનિક આતંકીઓ હતા.એ જ મહિનાની 18મી તારીખે સોપોર વિસ્તારમાં થયેલી બીજી એક અથડામણમાં સીઆરપીએફના ચાર જવાનો મૃત્યુ પામ્યા હતા. મે મહિનામાં કૂપવારાના હાંડવારામાં ચાર જવાનોએ શહીદી વહોરી હતી. તેમાં એક કર્નલ અને એક મેજર હતા. તે ઘટનામાં પણ આ જ સંગઠનનો હાથ હોવાનું માનવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

આંતરરાષ્ટ્રીય સ્પીકર બ્રહ્માકુમારી શિવાની દીદીનાં ૨૨મીએ ત્રણ પ્રવચન

Next

મંદિરોના 2000 કિલો સોનાના ઘરેણાં થકી તામિલનાડુ આવક ઊભી કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
2 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
3 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
3 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
3 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

કાશ્મીરીઓને ભાજપનું વચન : વિકાસ અને સલામતી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
બંધારણમાંથી નહીં હટે સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રેવ પાર્ટી માટે ડ્રગ્સ લાવતી યુગાન્ડાની મહિલા સહિત 3ની ધરપકડ
ગુજરાત
2 વર્ષ પહેલા
અમેરિકામાં બે સ્થળે અંધાધૂંધ ગોળીબારમાં 4 લોકોના મોત, હુમલાખોરે પણ આત્મહત્યા કરી
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર