Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક

Thu, February 26 2026

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર શેરી નંબર-7માં ગત રાત્રિએ એક ભયાનક આગની ઘટના સર્જાઈ હતી. અહીં આવેલ મનમંદિર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં મધરાતે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાથી 95 વર્ષીય વૃદ્ધા અને તેમના 62 વર્ષીય પુત્રનું કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો મુજબ, બુધવારે રાત્રિના આશરે 11:30 વાગ્યાની આસપાસ મનમંદિર એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી અચાનક અગ્નિની જ્વાળાઓ બહાર નીકળતી જોઈ આસપાસના રહિશો અને રાહદારીઓ ફફડી ઉઠ્યા હતા. લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ મુખ્ય ફાયર સ્ટેશન અને કોઠારીયા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો:લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત

મૃતકોની ઓળખ પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉં.વ. 95) અને નરેશભાઈ ભગવાનજીભાઈ પુજારા (ઉં.વ. 62) તરીકે થઈ છે. નરેશભાઈ બંગડી બજારમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં નરેશભાઈ, તેમના પત્ની, પુત્ર-પુત્રવધુ અને પૌત્રો સહિતના સભ્યો રહે છે. જોકે, ઘટના સમયે નરેશભાઈ અને તેમના માતા પ્રભાબેન જ ઘરે હતા જ્યારે અન્ય સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો.

ફાયર વિભાગના જવાનોએ જ્યારે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભાબેન અને નરેશભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગ એસીમાં શોર્ટ સર્કિટ અથવા બ્લાસ્ટ થવાને કારણે લાગી હોઈ શકે છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Next

મની લોન્ડરીંગ કેસમાં અનિલ અંબાણી દિલ્હીમાં ઈડીની કચેરીમાં હાજર થયા, પૂછપરછ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં પણ સફેદ રણનો નજારો: પ્રવાસીઓ માટે હવે ‘લક્ઝુરિયસ’ સ્ટેની સુવિધા, 44 કોટેજીસ તૈયાર
2 મિનિટutes પહેલા
TP શાખાની બેદરકારીને કારણે જ ગેરકાયદે ‘જંગલ’ ઉભું થયું? ‘વોઈસ ઓફ ડે’એ પૂછેલા સવાલનો RMC કમિશનરે આપ્યો ‘ગોળગોળ’ જવાબ
17 મિનિટutes પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 350 કરોડની જમીન ખુલ્લી: વાહનો સરળતાથી પસાર થશે-પાણી નહીં ભરાય, ચોમાસામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ નહીં થાય
42 મિનિટutes પહેલા
T20 World Cup 2026: ભારતે આજે ઝીમ્બાબ્વેને હરાવવું જ પડશે…એ પણ મોટા અંતરથી: સંજૂ સેમસનને મળી શકે તક, ચેન્નાઈમાં મુકાબલો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2930 Posts

Related Posts

આ છે ગુજરાતનું શ્રાપિત ગામ : 300 વર્ષથી નથી પ્રગટાવવામાં આવી હોળી, ઘટનાના પુરાવા આજે પણ મળે છે
ગુજરાત
12 મહિના પહેલા
અકસ્માત પીડિતોને રૂપિયા 1.5 લાખ સુધી કેશલેસ સારવાર: અકસ્માતો રોકવા વાહનોમાં લગાવવામાં આવશે ચિપ,ગડકરીની જાહેરાત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
કેજરીવાલ જેલમાંથી આવશે બહાર : સુપ્રીમ કોર્ટે ૧ જુન સુધી આપ્યા વચગાળાના જામીન
નેશનલ
2 વર્ષ પહેલા
હવામા ઉડાન વખતે spicejetના વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા કોલકત્તામાં ઇમરજન્સી લેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર