રાજકોટમાં 2019 માં આઠ વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા, શું કહ્યું જિલ્લા સરકારી વકીલ સંજય વોરાએ જુઓ વિડિયો
રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે તા.29-11-2019ના રોજ ફૂટપાથ પર સુતેલા મજુર વર્ગના પરિવારની નિંદ્રાધીન બાળકીને ઉઠાવી જઇ આજીડેમ નજીક તેની સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપી હરદેવ મશરૂ માંગરોળીયા (ઉ.વ. 25)ને ખાસ પોક્સો અદાલતના સેશન્સ જજ જે.ડી. સુથારે આજીવન કેદની સજા ફરમાવી છે.
અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પતિ-પત્ની અને પાંચ સંતાનોનો પરિવાર રાજકોટ ખાતે આવી મજુરીકામ કરતા હતા અને ભાવનગર રોડ ઉપર રા.મ્યુ.કોર્પો.ના બગીચામાં ખુલ્લી જગ્યામાં રહેતા હતા. તા.29-11-2019ના રોજ આ પરિવાર પોતાની સૌથી મોટી આઠ વર્ષની ભોગ બનનાર બાળકી સાથે બગીચામાં સુતેલા હતા ત્યારે મોડી રાત્રે આરોપી હરદેવ ત્યાંથી નીકળેલ અને આઠ વર્ષની બાળકીને નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી લઇ આજીડેમ ચોકડી પાસે અવાવરૂ જગ્યાએ ઉકરડા જેવા વિસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું ઇજાગ્રસ્ત બાળકી ઉપર ત્રણ દિવસ સુધી એક પછી એક અલગ અલગ ઓપરેશનો કરવામાં આવેલ. આ ચકચારી કેસમાં તમામ પુરાવાઓને ધ્યાને લઈ આરોપી હરદેવ માંગરોળીયાને આજીવન કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલ હતાં.