mr and mrs mahi : જાનવી કપૂરે કહ્યું કે ઈન્ટીમેટ સીન શૂટ કરવા માટે…!!
31 મેના રોજ ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે, આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂર લીડ રૉલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટૉરી વિશે વાત કરીએ તો એક અસફળ ક્રિકેટર રહી ચૂકેલા રાજકુમાર રાવ પોતાની પત્ની, જે સારી રીતે ક્રિકેટ રમે છે અને વ્યવસાયે ડૉક્ટર છે, તેને એક મોટી ક્રિકેટર બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. રાજેશ શર્મા અને ઝરીના વહાબ પણ આ ફિલ્મનો એક ભાગ છે.
લાંબા સમય બાદ જાનવી કપૂર થીયેટરમાં જોવા મળશે ત્યારે જાન્હવીએ તેની ભૂમિકા અને રાજકુમાર સાથે કેવી રીતે કામ કર્યું તે વિશે ખુલીને વાત કરી હતી. Reddit પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન દરમિયાન, જાન્હવીએ જણાવ્યું કે ફિલ્મ માટે ઇન્ટીમેટ સીન શૂટ કરવા માટે તે કેટલું કંટાળાજનક હતું.
જાહ્નવીએ કહ્યું, “ફિલ્મમાં રાજ અને મારી મોટાભાગની રોમેન્ટિક પળોમાં હું અને તે સંપૂર્ણપણે થાકી ગયા હતા. મને લાગે છે કે અમારી પ્રથમ રોમેન્ટિક ક્ષણો 20 કલાકની શિફ્ટ પછીની હતી.અમે બન્ને મૃત્યુ પામ્યા હોય તેવું તે મહેસુસ કરી રહ્યા હતા અમારા પેટમાં દુખાવો થતો હતો . એ સમયે અમારે એવું દર્શાવવાનું હતું કે અમે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા છીએ અને પહેલી કિસ કરવાના છીએ.
ફિલ્મ વિશે વાત કરતાં જાન્હવીએ ANIને કહ્યું, “તે બે લોકોની વાર્તા છે જેઓ એકબીજામાં તેમના સપનાને સાકાર કરવા માટે હિંમત મેળવે છે. અને તે ખૂબ જ મીઠી વાર્તા છે. તે માત્ર ક્રિકેટ વિશે છે.
ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, મહેન્દ્ર બનેલા રાજકુમાર અને મહિમા બનેલી જાહન્વીને લોકો પ્રેમથી ‘માહી’ કહીને બોલાવે છે. થોડા દિવસો સુધી મળ્યા પછી બંને પ્રેમમાં પડે છે અને લગ્ન કરી લે છે. લગ્ન પછી થોડા સારા દિવસો પસાર થાય છે, ત્યારે મહેન્દ્રને ખબર પડે છે કે મહિમાનું સપનું ક્રિકેટર બનવાનું હતું. પરંતુ તેના પરિવારના આગ્રહને કારણે તેણે પોતાના સપનાનું બલિદાન આપ્યું અને ડોક્ટર બની.
આ વાત જાણીને મહેન્દ્ર તેને ફરી ક્રિકેટર બનવા પ્રેરે છે. વાસ્તવમાં, તે પોતે પણ એક સમયે ક્રિકેટર બનવા માંગતો હતો પરંતુ પરિવારના દબાણને કારણે તેણે પણ પોતાનું સપનું ભૂલી જવું પડ્યું. આગળની વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહેન્દ્ર તેની પત્નીને ક્રિકેટર બનાવવા માટે સંઘર્ષ કરે છે. આ સમય દરમિયાન, તેણે માત્ર તેના પરિવાર સાથે લડવું પડ્યું તેવું નથી, પરંતુ તેની અને મહિમા વચ્ચે કેટલોક સમય ગેરસમજ ઊભી થઈ જાય છે.