શાપરમાં 13 વર્ષિય તરુણનું કમળાથી મોત
શાપરમાં રહેતાં 13 વર્ષિય તરુણનું કમળાની બીમારી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપરમાં શીતળા માતાના મંદીર પાસે રહેતાં કુલદીપ ગૌતમકુમાર યાદવ (ઉ.વ.13) નામનો તરુણ પોતાના ઘરે હતો.ત્યારે બેભાન થઈ જતાં તાકીદે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામનાર કુલદીપને જન્મ જાત આંચકીની બીમારી હતી. જેની સારવાર ચાલુ હતી. અને થોડાં દિવસથી તેને તાવ આવતો હતો. તેની દવા પણ લીધી હતી.બાદમાં કમળો થતાં તેનું મોત નીપજ્યું હતું.મૃતકના પિતા ગૌતમકુમાર કોરોના સમયમાં અવસાન પામ્યા હતા. જ્યારે પિતા બાદ એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે.