વડાપ્રધાનપદેથી નરેન્દ્ર મોદીનું રાજીનામુ : રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર : નવી સરકાર રચવાની કવાયત તેજ
વડાપ્રધાનપદેથી નરેન્દ્ર મોદીનું રાજીનામુ : રાષ્ટ્રપતિએ કર્યો સ્વીકાર : નવી સરકાર રચવાની કવાયત તેજ
લોકસભની ચુંટણી માટેના પરિણામો બધા જ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બપોરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને પદેથી રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ એમના રાજીનામાનો સ્વીકાર કરીને નવી સરકાર બને ત્યાં સુધી કાર્યવાહક તરીકે સક્રિય રહેવાનો અનુરોધ કર્યો હતો. 17 મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. નવી સરકાર રચવાની કવાયત ગતિશીલ બની છે.
દરમિયાનમાં આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. અઅ દરમિયાન 7 મી જૂને એનડીએની બેઠક મળશે અને નરેન્દ્ર મોદીને સંસદીય પક્ષના નેતા તરીકે ચુંટવામાં આવશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી 8 મી તારીખે વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.