સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે મોટા સમાચાર : આ હિટ ફિલ્મ ફરી થીયેટરમાં જોવા મળશે
બોલીવુડના અભિનેતા શુશાંતસિંહ રાજપૂત માટે દરેક લોકોના દિલમાં એક અલગ જ જગ્યા છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘કેદારનાથ’, ‘કાઈ પો છે’, ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘છિછોરે’ અને ‘સોનચિરિયા’ તેમની કારકિર્દીની મુખ્ય ફિલ્મોમાંની છે. આ બધા સિવાય સુશાંતની બીજી એક ફિલ્મ છે, જે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ ગઈ હતી ત્યારે શુશાંતની એ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી છે. શુશાંતસિંહના મૃત્યુ બાદ પણ તેના ફેંસની સંખ્યામાં ઘટાડો થયો નથી ત્યારે તેમના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શુશાંત સિંહની ફિલ્મ ફરીથી થીયેટરમાં જોવા મળશે.
‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે.
અત્યાર સુધીમાં તમે અનુમાન લગાવ્યું હશે કે અમે સુશાંતની કઈ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ, તો પણ ચાલો તમને જણાવીએ. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ની, જે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની બાયોપિક છે. આ ફિલ્મ સમાચારમાં રહેવાનું કારણ એ છે કે તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ આવતા મહિને થઈ શકે છે.
ધોનીના જન્મદિવસ માટે બનાવ્યો ખાસ પ્લાન
એમએસ ધોની 7મી જુલાઈએ પોતાનો 43મો જન્મદિવસ ઉજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખાસ દિવસ માટે તેના ફેન્સ ‘MS Dhoni: The Untold Story’ની સ્ક્રીનિંગની યોજના બનાવી રહ્યા છે. તેલુગુ 123 વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને બેંગ્લોરમાં દર્શાવવામાં આવશે.