Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનમોહનજીના અંતિમ સંસ્કાર મુદ્દે વિવાદ : નેતાઓએ મોતનો મલાજો જાળવવાને બદલે રાજનીતિ કરી શરૂ કરી; કોણે શુ કહ્યું ?

Sat, December 28 2024


આપણા રાજનેતાઓ રાજરમતમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે ભયંકર દુખ અને આફતના સમયમાં પણ રાજનીતિ કરવાનું ભૂલતા નથી ! માનવીય મૂલ્યોનો ખુલ્લેઆમ નાશ કરતાં રહે છે. મનમોહન સિંઘના નિધનના ભારે દુખદ પ્રસંગે પણ કોંગ્રેસ અને આપના નેતાઓએ શનિવારે અંતિમ સંસ્કારના મુદ્દા પર જીભાજોડી કરીને મર્યાદા તોડી હતી. અંતિમ સંસ્કાર ક્યાં થવા જોઈએ તે વાતને લઈને પાર્ટીના નેતાઓએ સામસામે નિવેદનબાજી કરી હતી અને વિવાદ ઊભો કર્યો હતો.

રાજકીય ઘર્ષણ કરવા માટે આ લોકોને રોજ નવા મુદા મળી જ રહેતા હોય છે પણ આવા દુખદ પ્રસંગે પણ આરોપબાજી કરીને એમણે કરોડો દેશવાસીઓને આંચકો આપ્યો હતો. જો કે ગૃહમંત્રી અમિત શાહે તો સાફ શબ્દોમાં કહી દીધું હતું કે સ્મારક બનાવવા માટે સરકાર જગ્યા આપશે . કોણે શું કહ્યું હતું તેના પર એક નજર કરીએ

રાહુલ ગાંધી: અંતિમ સંસ્કાર શકતી સ્થલ પર થવા જોઈતા હતા, કેન્દ્ર સરકારે મનમોહનનું અપમાન કર્યું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકીને કહ્યું હતું કે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરીને કેન્દ્ર સરકારે મનમોહન સિંઘનું અપમાન કર્યું છે. અઅજ સુધી બધા જ વડાપ્રધાનોની ગરિમાનો આદર કરીને એમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિ સ્થલ પર થયા છે. મનમોહન સિંઘ પણ આવા જ સર્વોચ્ચ સન્માનના હકદાર હતા. કેન્દ્ર સરકારે દેશના આ મહાન પુત્ર અને એમની ગૌરવશાળી કોમ પ્રત્યે આદર દેખાડવાની જરૂર હતી. સમાધિ સ્થલ પર જો કરવામાં આવે તો દરેક વ્યક્તિ કોઈ પણ અસુવિધા વિના અંતિમ દર્શન કરી શકે. જો કે કેન્દ્ર સરકારે મનમોહન સિંઘનું અપમાન કર્યું છે.

નવજોત સિધ્ધુ; અટલજીના કેસમાં આવું થયું હોત તો તમને કેવું લાગત ?

કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુએ ભાજપની આલોચના કરી હતી અને કહ્યું હતું કે,આમાં પણ રાજનીતિ કરવામાં આવી છે. એમણે એવો સવાલ કર્યો હતો કે જો ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ વડાપ્રધાન અટલજીનું સ્મારક જો રાજઘાટ પર ન બન્યું હોત તો પાટીને કેવું લાગત ? આ મુદ્દો કોઈ એક પાર્ટીનો નથી પણ સમગ્ર દેશના ઇતિહાસનો છે. પત્રકારો સાથે વાત કરતાં એમણે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિનું નિધન થાય છે તો તેની સાથેની બધી જ દુશ્મની ખતમ થઈ જાય છે. પરંતુ અહીં રાજનીતિ કરવામાં આવી છે. જો અટલજીના અંતિમ સંસ્કાર હોય અને કોઈ એમ કહે કે સ્મારક રાજઘાટ પર નહીં બને તો તમને કેવું લાગે ?

ગૃહમંત્રી અમિત શાહે ખુદ કહ્યું , મનમોહનજીના સ્મારક માટે સરકાર જગ્યા આપશે

પૂર્વ પીએમ મનમોહન સિંહનું સ્મારક બનવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ માટે સંમત થઈ ગઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સિંઘના પરિવારને આ માહિતી આપી છે હતી. કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારને કહ્યું હતું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે, કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે. આમ સરકારે પોતાનું વલણ તરત જ સ્પષ્ટ કરી દીધું હતું છતાં વિવાદ ઊભો કરાયો છે.

ભાજપના નેતાએ કહેવું પડ્યું, આવા સમયે તો ગંદી રાજનીતિ બંધ કરો

આ વિવાદ ઊભો કરવામાં આવ્યો અને એક પછી એક નેતાઓના નિવેદનો આવવા લાગ્યા ત્યાર બાદ ભાજપના અને સિખ કોમના વરિષ્ઠ નેતા મંજિન્દર સિંઘએ ભારે હૈયે એવી અપીલ કરવી પડી હતી કે આવા દુખદ અવસર પર તો ગંદી રાજનીતિ કરવાથી બધાએ દૂર રહેવું જોઈએ. આવા પ્રસંગે આવી વાતો અને વિવાદ ઊભા ન થવા જોઈએ અને ગરિમા જાળવવી જોઈએ. આપના નેતા કેજરીવાલે પણ મોઢું હલાવી લીધું હતું અને આ મુદા પર સરકારની ટીકા કરી હતી. કેજરીવાલે એક્સ પર લખ્યું હતું કે હું તો આ નિર્ણય સાંભળીને હેરાન રહી ગયો હતો. એમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર નહીં રાજઘાટ પર થવા જોઈએ. અશોક ગહલોતએ પણ આવી જ વાત કરી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : આર્થિક ભીંસથી કંટાળેલા યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી 

Next

ખુશીના આંસૂ….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
2 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
2 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
2 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

ભાજપની હેટ્રિક તરફ કુચ અને કોંગ્રેસના ગોથાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચીનની ચમચાગીરી માલદીવના રાષ્ટ્રપતિ મોઇઝુને ભારે પડી, વિપક્ષ મહાભિયોગ ચલાવવાની તૈયારીમાં
Breaking
2 વર્ષ પહેલા
Paris Olympics 2024 :  કેપ્ટન હરમનપ્રીતના 2 શાનદાર ગોલથી હોકી ટીમે જીત મેળવી…આયર્લેન્ડને  2-0 હરાવ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
15 જાન્યુ. સુધી રાજકોટ એરપોર્ટ ઓથોરિટી અને CISF એલર્ટ પર: PM મુવમેન્ટને લઈને 600થી વધુ કર્મચારીઓની રજાઓ કેન્સલ
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર