Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં સોનાની લગડી જેવી યુએલસી ફાજલ જમીન વેચી મારવાનું તોસ્તાન કૌભાંડ

Tue, July 16 2024

રૈયા સર્વે નંબર 114ની 1464 ચોરસ મીટર જમીન સરકારી હોવા છતાં સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ નોંધી નાખ્યો : સીટી સર્વે અધિકારીએ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ કરી નાખી

રાજકોટ : રાજકોટમા જમીન કૌભાંડીયાઓ અત્યાર સુધી ખાનગી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી જમીન કૌભાંડ આચરતા હતા પરંતુ હવે તો હદ વટાવી દઈ યુએલસી ફાજલ થયેલ સરકાર હસ્તકની સોનાની લગડી જેવી 17થી 20 કરોડની કિંમતની રૈયારોડ અને સાધુ વાસવાણી રોડ વચ્ચે આવેલ રૈયા સર્વે નંબર 114ની 1464 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ નોંધાવી લઈ રેવન્યુ તલાટી પાસે નોંધ કરાવવાને બદલે સીટી સર્વેના અધિકારીને સાધી લઈ પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પડાવી લઈ અન્ય વ્યક્તિના નામે 9 મહિના પૂર્વે 2.43 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ચકચારી જમીન કૌભાંડ મામલે આકરા પગલાં તોળાઈ રહ્યા હોવાનું બહાર  આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના રૈયા સર્વે નંબર 114ની શશીકાંતભાઈ છોટાલાલ કામદારની માલિકીની 3562 ચોરસ મીટર જમીન અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એટલે કે યુએલસી એક્ટ મુજબ ફાજલ જાહેર થયેલી હોવાથી શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 12-03-1996ના રોજ આ જમીનને સરકાર હસ્તક લેવામાં આવી હતી અને વર્ષ 02-04-2004માં રેવન્યુ રેકર્ડ ઉપર ઉપરોક્ત તમામ જમીન સરકાર હસ્તક લઈ લેવામાં આવી હતી અને સમગ્ર મામલે શશીકાંત છોટાલાલ કામદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટે પણ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ રાજકોટના રહીશ ખેંગાર પુંજાભાઈ ડોડીયાએ 1972માં રૈયા સર્વે નંબર 114ની આ યુએલસી ફાજલ જમીન પૈકી પ્લોટ નંબર 7, 8,9 અને 10ની 1464 ચોરસ મીટર જમીન  શશીકાંતભાઈ છોટાલાલ કામદાર પાસેથી ખરીદ કરી હોવાનું જણાવી તેમના વારસદાર રણજીતભાઇ ખેંગારભાઈ ડોડીયાનું અવસાન થતા વારસાઈ આંબાના આધારે 21-04-2023ના રોજ રાજકોટ સીટી સર્વે અધિકારી દ્વારા આ જમીન યુએલસી ફાજલ હોવા છતાં ધીરુભાઈ ખેંગારભાઈ ડોડીયા, વજીબેન ખેંગારભાઈ ડોડીયા, રમેશભાઈ ખેંગારભાઈ ડોડીયા,મંગુબેન ખેંગારભાઈ ડોડીયા, રમાબેન ખેંગારભાઈ ડોડીયા, સવિતાબેન ખેંગારભાઈ ડોડીયા, મીનાબેન ખેંગારભાઈ ડોડીયા, માધુરીબેન ખેંગારભાઈ ડોડીયા, સરોજબેન ખેંગારભાઈ ડોડીયા, રવિરાજભાઈ રણજીતભાઇ ડોડીયા,ભવદીપ રણજીતભાઇ ડોડીયાના નામે પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પાડી આપી હતી.

દરમિયાન રાજકોટ સીટી સર્વે -1 વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા 21-04-2023ના રોજ યુએલસી ફાજલ જમીનની પ્રોપર્ટીકાર્ડમાં નોંધ પાડી દેતા છ મહિનાના ટૂંકા સમયમાં જ સોનાની લગડી જેવી આ સરકારી યુએલસી ફાજલ એવી 1464 ચોરસ મીટર જમીનનો ધીરુભાઈ ખેંગારભાઈ ડોડીયા સહિતના 11 કહેવાતા માલિકોએ તા.26-10-2023ના રોજ સુરજભાઈ વાજસુરભાઈ ડેરને રૂપિયા 2.43 કરોડ રૂપિયામાં આ જમીનનું વેચાણ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિવાદિત સરકારી જમીન રાજકટોના રૈયારોડ અને સાધુ વાસવાણી રોડ વચ્ચે આવેલ ગોપાલ ચોક નજીક આવેલી છે અને અહીં હાલમાં પ્રતિ ચોરસ વાર જમીનનો ભાવ અંદાજે 1થી 1.50 લાખ રૂપિયા ચાલે છે જે જોતા સરકારની માલિકીની 1464 ચોરસ મીટર એટલે કે, 1750.929 ચોરસ વાર જગ્યાની પ્રવર્તમાન બજાર કિંમત 17થી 20 કરોડથી વધુ થવા જાય છે.

રૈયા સબ-રજિસ્ટ્રાર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-1 શંકાના દાયરામાં

રાજકોટના રૈયા સર્વે નંબર 114ની યુએલસી ફાજલ થયેલી જમીન પૈકીની 1464 ચોરસ મીટર એટલે કે, 1750.929 ચોરસવાર સરકારી જમીન બરોબર ખાનગી નામે પ્રોપર્ટીકાર્ડમાં નોંધણી કરવી અને બાદમાં છ જ મહિનાના ટૂંકા સમયમાં આ જમીનનો રૂપિયા 2.43 કરોડના ભાવે વેચાણ દસ્તાવેજ થઈ જવાના અત્યંત ગંભીર કૌભાંડમાં દસ્તાવેજની નોંધ કરનાર રાજકોટના રૈયા સબ-રજિસ્ટ્રાર અને આ દસ્તાવેજની નોંધ કરી દેનાર સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-1 અધિકારી શંકાના દાયરામાં આવી ગયા છે. દરેક સબરજિસ્ટ્રાર, રેવન્યુ તલાટી અને સીટી સર્વે અધિકારી પાસે યુએલસી ફાજલ થયેલી તમામ જમીનનો ડેટા હોવા છતાં કરોડોની કિંમતી જમીનની નોંધ શા માટે પ્રોપર્ટી કાર્ડમાં પડી અને દસ્તાવેજ કેવી રીતે નોંધાઈ ગયો તે મોટો સવાલ છે ત્યારે સરકારી જમીન ખાનગી નામે ચડાવી વેચાણ કરવાંમાં અધિકારીઓ સાથે મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

શહેરી જમીન ટોચ મર્યાદા ધારો 1976માં અમલમાં આવ્યો હતો

શહેરી જમીન ટોચ મર્યાદા ધારો 17 ફેબ્રુઆરી, 1976ના અમલમાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર એમ છ શહેરોના કોર્પોરેશન વિસ્તારની હદમાં અને તેની ફરતે પાંચ કિ. મી. ના વિસ્તારમાં આવતી રહેણાંકીય, ઔદ્યોગિક, બિનખેતીની જમીનને સરકાર સમક્ષ જાહેર કરવી પડી હતી.જે બાદમાં તા. 31 માર્ચ, 1999માં સરકારે કાયદો રદ કર્યેા હતો. યુએલસી કાયદાની કલમ 6/1 પ્રમાણે જમીન ધારકે જમીનના કેટલા વારસદાર છે અને કેટલી જમીન ફાજલ પડે છે તેની જાહેરાત કરવાની હતી. જાહેરાત સાચી છે કે ખોટી અને જો ખોટી હોય તો ફોજદારી કાર્યવાહી કરવા સુધીની સત્તા આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્રને બાદ કરતા બધે મેઘરાજા ભરપૂર વરસ્યા

Next

અંતે બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજનું જોડાણ રદ્દ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
16 સેકન્ડ પહેલા
અમદાવાદની શાળામાં શિક્ષક પર થયેલા હુમલાના રાજકોટમાં પડઘા, સુરક્ષા અંગે SOP બનાવવાની માગ સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ
35 મિનિટutes પહેલા
ગાંડીવેલને દૂર કરવા 1.12 કરોડ ખર્ચી નાખ્યા બાદ RMCને ભાન થયું કે કોઈ જ ફાયદો થયો નથી!
51 મિનિટutes પહેલા
આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન
1 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

લોકસભામાં રજૂ થયો એક દેશ એક ચૂંટણી બંધારણ સુધારા ખરડો
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મિત્રો સાથેના સબંધો બગડી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
વડાપ્રધાને વીમા સખી યોજના લોન્ચ કરી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
RTIની સૌથી વધુ અરજી ગૃહ, મહેસુલ અને શહેરી વિકાસને લગતી હોય છે
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર